Share This News

નમસ્કાર ન્યુઝ
ન્યુ દિલ્લી

જેમના ઉલ્લેખ વગર ટેસ્ટ ક્રિકેટનો ઇતિહાસ અધુરો રહે , એવા સૌરાષ્ટ્રના વતની અને ભારતીય ક્રિકેટના જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે મુલાકાત કરી ..

મોદીજી સાથે મુલાકાત પછી ચેતેશ્વર પુજારા એ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમારા માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજીને મળવું એ સન્માનની વાત હતી. હું મારી 100મી ટેસ્ટ પહેલા પ્રધાનમંત્રી શ્રી મોદીજી દ્વારા અપાયેલા પ્રોત્સાહનની કદર કરીશ.  આભાર પ્રધાનમંત્રી શ્રી...

ચેતેશ્વર પુજારાનું સ્થાન ક્રિકેટ જગતમાં અનોખું છે ,પુજારા એ યાદગાર પારીઓ વખતે ટીમને ઘણી વખત જીતાડેલી છે

ન્યુઝ રિપોર્ટ કુલદીપ સંઘવી નમસ્કાર ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed